ગોંડલ બાપુ

*મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા*
 (ગોંડલના બાપુ)

*જન્મ :* 
*૨૪ ઓક્ટોબર ૧૮૬૫ ,* 
કારતક સુદ પાંચમ, *ધોરાજી*

*અવસાન :–* 
*૯ માર્ચ ૧૯૪૪*

*ઉપનામ : ગોંડલ બાપુ*

*માતા :– મોંઘીબા*
*પિતા :– સંગ્રામસિંહ ભાણજી જાડેજા*

*રાજ્યાભિષેક:– ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં* પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ..
*ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી.*

*લગ્ન:  ચાર રાણીઓ*  ૧.પટરાણી સાહેબ   
    નંદકુંવરબા 
    (ધરમપુર ના કુંવરી), 

૨. રાણી સાહેબ 
    વાંકાનેરના કુંવરી, 

૩. રાણી સાહેબ  
     મીણાપુરના કુંવરી, 

૪. રાણી સાહેબ 
     ચુડાના કુંવરી હતા.

*સંતાનો :–*  
  ભોજરાજસિંહ,    
  ભૂપતસિંહજી,. 
   કિરીટસિંહજી,. 
    નટવરસિંહજી, 
 *બાકુંવરબા* , લીલાબા, તારાબા.

*અભ્યાસ :-* 
નવ વર્ષની ઉંમરે ઈ.સ. *૧૮૭૫* માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા.

*૧૮૮૭* – 
*સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી *એલ.એલ.ડી*
 (ડોકટરી અભ્યાસ).

*૧૮૯૦ –* એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.

*૧૮૯૫ –*
 એડિનબરો રોયલ કોલેજમાંથી *એફ. આર. સી. પી.* અને *એમ. ડી -આયુર્વેદ* ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે

*વ્યવસાય :*
 *રાજકર્તા*

*૧૮૮૭ – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂકરી.*

*૧૮૯૫ – માં ફર્ગ્યુંસન કોલેજ, પૂ ના ને દાન આપી ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રીઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સીટી ને પણ દાન આપ્યું.*

*૧૯૦૦ – માં ગોંડલ ગરાસીયા કોલેજની સ્થાપના કરી જે હાલ સંગ્રામજી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે*
.
*૧૯૧૯ – માં મફત અને ફરજીયાત શિક્ષણ ની શરૂઆત કરાવી.*

*૧૯૨૪ – માં ગોંડલ માં ઈલેક્ટ્રીસીટી નો પ્રારંભ કર્યો.*

*૧૯૨૮ – માં કે.કા. શાસ્ત્રી અને અન્ય વિદ્વાનો ને રાજ્યાશ્રય આપીને ભગવદ્ ગોમંડલ રચવાની શરૂઆત કરાવી જે- નવ ભાગ – માં વિભાજીત સૌથી મોટો ગુજરાતી વિશ્વકોષ છે.*

*૧૯૩૪ – માં બિહાર માં ધરતીકંપ આવતા ૧ લાખ રૂપિયા ની સહાય આપી.*

*૧૯૩૪ – માં ગોંડલ કોઈપણ કરવેરા રહિત નું રાજ્ય બનાવ્યું.*

*૧૯૩૦-૩૩*
 *કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો –* પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; *ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો* ગણાયા; 

*ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,*

ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, 

અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને

 *રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,*

*૧૯૩૬ – માં વાઇસરોય લોર્ડ વિલિંગટન ની ગોંડલ રાજ્ય ની મુલાકાત.*

*વિશેષ પ્રદાન :-*
વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.

*પુસ્તક પ્રકાશન*
 – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા *ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.*

*સન્માન :-૧૮૯૭ –* *મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ*

*૧૯૧૫ – માં ૨૭ જન્યુઆરી માં મહારાજા ની હાજરી માં ગોંડલ ખાતે રસશાળા ઔશધાલય માં રાજવૈધ જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ (ભુવનેશ્વરી પીઠ) દ્વારા ગાંધીજી ને “મહાત્મા” ની પદવી થી નવાજ્યા હતા.*

*૧૯૩૪* – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, *પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી*, 
સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.

જીવનપ્રસંગો

૧. *થાકલા*

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઇને કોઇ ગામની મુલાકાતે જઇ રહ્યા હતા. મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઇને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે.

રસ્તામાં એક બહેન ઘાસનો ભારો નીચે રાખીને બેઠેલા.

 ઘોડેસવારને આવતા જોયો એટલે એ બહેને હાથ ઉંચો કરીને ઘોડા પર સવાર થયેલા મહારાજાને ઉભા રાખ્યા.

 મહારાજાએ પણ સામાન્ય માણસની જેમ ઘોડો ઉભો રાખી દીધો અને પુછ્યુ, 
*“બોલો બહેન, શું કામ છે ?*” 

પેલા બહેને કહ્યુ,
*ભાઇ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરો*

મહારાજા ભગવતસિંહજી પોતાના હોદાને એક બાજુ રાખીને *સામાન્ય માણસની જેમ એफ બહેનને ભારો માથા પર મુકવા માટે નીચે ઉતર્યા*. 

*પેલી બહેને કહ્યુ,*
”આપણા ભગાબાપુ જો થાકલા કરી આપે તો કોઇ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ન પડે”

 મહારાજાએ પોતાનો પરિચય આપ્યા વગર જ પુછ્યુ, 
*બહેન આ થાકલા એટલે શું ?*  

પેલી સ્ત્રીએ વિસ્તારથી સમજાવતા કહ્યુ, ” માણસની ઉંચાઇ જેટલા *બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકીને જે તૈયાર કરવામાં આવે એ થાકલો*. 

વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઇ શકે અને જ્યારે ફરી આગળ વધવુ હોય ત્યારે કોઇ ભારો ચડાવવા વાળાની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ઉપર રાખેલા ભારાને સીધો પોતાના માથા પર લઇ શકે.” 


માથે ભારો ચડાવીને મહારાજા તો વિદાય થયા.

મહારાજા જ્યારે પોતાનું કામ પતાવીને ગોંડલ પરત આવ્યા એટલે તુરંત જ મુખ્ય ઇજનેરને મળવા માટે બોલાવ્યો. મુખ્ય ઇજનેર આવ્યો એટલે સર ભગવતસિંહજીએ એને થાકલા વાળી વાત કહીને સુચના આપતા કહ્યુ કે *રાજ્યના તમામ રસ્તાઓ પર દોઢ માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી દો*
 જેથી મારા રાજ્યની કોઇ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઇની રાહ ન જોવી પડે અને કોઇના ઓસીયાળા ના રહેવું પડે. 

*આ થાકલાનો માઇલસ્ટોન તરીકે પણ ઉપયોગ કરો જેથી ઉભા કરેલા થાકલાથી નજીકનું ગામ કેટલું દુર છે એની પણ વટેમાર્ગુને ખબર પડે.*

ગોંડલ રાજ્યની પ્રજાના પ્રિય એવા ભગાબાપુએ તૈયાર કરેલા એ થાકલાઓ આજે પણ ગોંડલ રાજ્યના મુખ્ય માર્ગો પર જોવા મળે છે.(ફોટામાં રહેલા આ થાકલાઓ જોઇને બળબળતી બપોરે પણ આંખોને ન વર્ણવી શકાય એવી થંડક મળે છે.) જ્યારે જ્યારે હું મારા ગામ મોવિયા જાવ છું ત્યારે રસ્તામાં આ *થાકલાઓ જોઇને એવુ થાય કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી કેવી સારી ?*

બીલખાના મહારાજાએ એની ડાયરીમાં એવી નોંધ કરેલી છે કે 
*ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જોવા માટે તમારે હાથમાં નકશો લેવાની જરુર જ નહિ*. 

આંખ બંધ કરીને ઘોડાગાડીમાં બેસો તો પણ ગોંડલ આવે એટલે તમને ખબર પડી જાય કારણકે સમથળ રસ્તાઓને કારણે રોદા આવતા બંધ થઇ જાય અને ગોંડલની હદ પુરી થતા ફરી રોદા આવવાના શરુ થઇ જાય.’

*એક એ ગોંડલ હતુ અને એક આજનું ગોંડલ છે* 

આજે વર્તમાન સમયે પણ ગોંડલની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જાણવા માટે નકશો હાથમાં લેવાની જરૂર નહી. આંખો બંધ કરીને બેસો. *રોદા આવવાના શરુ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલ આવ્યુ*
 
અને 

*રોદા આવતા બંધ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલની હદ પુરી.*

સર ભગવતસિંહજીના *પ્રજાલક્ષી શાશનને શત શત વંદન*

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીને જેટલો પ્રેમ એના *રાજ્યની પ્રજા પર હતો એટલો જ પ્રેમ પર્યાવરણ પ્રત્યે પણ હતો.*
 મહારાજા સાહેબે ગોંડલમાં *કૈલાસબાગ’* નામનો એક વિશાળ બગીચો બનાવેલો જેમા *તમામ પ્રકારના ઔષધિય વૃક્ષો અને ફળ-ફુલ વાવેલા.* ભગવતસિંહજી આ બગીચાની ખુબ માવજત કરાવતા અને રોજ બગીચાની મુલાકાત લેતા.

 એકવખત ભગવતસિંહજીના સૌથી નાના કુંવર નટવરસિંહ બગીચામાં રમવા માટે આવેલા. 
કેળાની એક સરસ લુમ જોઇને નટવરસિંહે બગીચાના માળીને કહ્યુ કે મને આ લુમ ઉતારી આપો મારે જોઇએ છે. 


બગીચાના માળીએ કુંવરને સમજાવતા કહ્યુ, ” કુંવર સાહેબ, મહારાજાની આજ્ઞા છે કે એમની મંજૂરી વગર કોઇ ફળ ફુલ તોડવા નહી માટે મને માફ કરજો હું આપને એ કેળાની લુમ નહી આપી શકુ.
 એકવખત મહારાજા સાહેબની મંજૂરી મળી જાય એટલે હું આપને આ કેળાની લુમ ચોક્કસ આપીશ.” 
રાજકુમાર *ના* સાંભળવા માટે ટેવાયેલા નહી આથી ખુબ ગુસ્સે ભરાયા અને માળીના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. 

એણે માળીને કહ્યુ,
 ” તું જેની મંજૂરી લેવાની વાત કરે છે તે શું ના પાડશે ?

*૧૯૧૧માં જ્યોર્જ પંચમ દીલ્હી આવેલા*

 તમામ નાના-મોટા રાજાઓને મળવા માટે બોલાવેલા. 

*ગોંડલના મહારાજા ભગવતસિંહજી પણ દીલ્હી ગયા હતા.*

 જ્યોર્જ પંચમના દરભારમાં એક પછી એક રજવાડાના રાજા જ્યોર્જ પંચમના સિંહાસન પાસે જાય. જ્યોર્જ પંચમ સાથે તેનો પરિચય કરાવવામાં આવે અને પરિચય બાદ રાજા પોતાના આસન પર બેસવા માટે પાછા વળે ત્યારે પાછા પગે ચાલે જેથી જ્યોર્જ પંચમને પીઠ ન જોવી પડે અને એનું માન જળવાય.

મહારાજા ભગવતસિંહની મુલાકાત પુરી થઇ એટલે એ તો તુંરત જ *પીઠ ફેરવીને* પોતાની જગ્યાએ બેસવા ચાલતા થયા.

 જ્યોર્જ પંચમ સહીત બધાને અપમાન જેવુ લાગ્યુ. પણ મહારાજા ભગવતસિંહે કહ્યુ , ”

 *જ્યોર્જ પંચમ રાજા હોય તો હું પણ રાજા જ છું અને જો હું પાછા પગે ચાલુ તો મારા ગોંડલ*
*રાજ્યની પ્રજાનું અપમાન થાય* 

માટે મારા માટે એમ કરવું શક્ય નહોતું. ”

*થોડું વધારે પણ અગત્યનું*

“ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા જે આજની લોકશાહી કરતા એ સમયની રાજાશાહીને ગોંડલ રાજ્યની પ્રજા વધુ પસંદ કરે.

સર ભગવતસિંહજીએ એમના શાશનકાળ દરમ્યાન *કન્યાકેળવણી ફરજીયાત* બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચાર આના (તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો.

 આજે ગોંડલ રાજ્યની કોઇ વૃધ્ધા તમને અભણ જોવા નહી મળે.
ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવી હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગતમદદનિશ તરીકે જમનાબાઇ નામની સ્ત્રીને નિમણૂંક આપી હતી.

*ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા.*
 એકવખત કોઇએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગાબાપુએ કહેલુ કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડુ દીલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે. 

પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય. મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે.(ફોટામાં જોવા મળે છે એ પહેરવેશ તો માત્ર પ્રસંગોપાત જોવા મળતો).

કોઇ કલ્પના પણ કર શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ?

 ભગવતસિંહજીએ *ગોંડલને વેરામૂક્ત રાજ્ય બનાવેલું.* રાજયની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પુરી તકેદારી રાખતા. 

એકવખત ટાંચણેના ભાવમાં ઉછળો આવ્યો ત્યારે ટાંચણી ખરીદવાના બદલે એણે *બાવળની શૂળો* વાપરવા માટેની કચેરીને સુચના આપેલી અને જ્યાં સુધી ટાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યુ.

 *ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બીલ આપતા હતા*

*મહાત્મા ગાંધી, બિટીશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધુ હતું.*

મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા. પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા.

 ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે ‘સબસલામત’નો પોલીસ પટેલનો ટેલીફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા.

( તે સમયે ગોંડલમાં ટેલીફોન લાઇન, રેલ્વે, અંન્ડર ગ્રાઉન્ડ ઇલેટ્રીસીટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી).
 

*પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતુ ત્યારે* તે લોકોએ કોલેજના કોઇ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મુકી. મહારાજા સાહેબે કહ્યુ કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઇ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો. 
*આજે પણ ફરગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે.*

ભગાબાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાકટર પાસે બોંડ સાઇન કરાવતા અને જો વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાકટરના માથે નાંખતા. બાંધકામ કેવુ થયુ છે એની ચકાસણી ખૂદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા.
ભગાબાપુની જેટલી વાત કરીએ એટલી ઓછી છે.

₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

*વિવિધ તત્વોનુ કાર્ય:-*

*1. નાઇટ્રોજન (N):-*
- વાનસ્પતિક વૃધ્ધિ 
- એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.
- હરિતકણના નિર્માણ માટે

*2. ફોસ્ફોરસ (P):-*
- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે
- ATP ના બંધારણમા
- થડના મજબુત વિકાસ માટે
- પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ

*3. પોટાશ (K):-*
- ફળના વિકાસ માટે
- ફળની ગુણવત્તા માટે
- રોગ પ્રતિકારકતા વધારે છે
- પર્ણરંધ્રો નુ નિયમન કરે છે
- નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે

*4. કેલ્શિયમ (Ca):-*
- કોષના બંધારણમા
- કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે
- શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે

*5. મેગ્નેશીયમ (Mg):-*
- હરિતકણના બંધારણ માટે
- છોડના લીલાશ (રંગ) માટે
- ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે

*6. સલ્ફર (S):-*
- એમિનો એસીડના નિર્માણ માટે
- હરિતકણના નિર્માણ માટે
- તેલની ટકાવારી વધારવા માટે
- છોડની રોગપ્રતિકારકતા વધારે છે

*7. ઝિંક / જસત (Zn):-*
- ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે
- ફુલ અને ફળના વિકાસ માટે
- ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે
- વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી
- ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે

*8. બોરોન (B):-*
- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

*9. કોપર / તાંબુ (Cu):-*
- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

*10. લોહતત્વ (Fe):-*
- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

*11. મેંગેનિઝ (Mn):-*
- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

*12. મોલિબ્ડેનમ (Mo):-*
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે

*13. નિકલ (Ni):-*
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

*14. ક્લોરાઇડ (Cl):
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.   

 *જય જવાન જય કિશાન*

₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

"પોલીસ"
આજ ની આ માહિતી અને જાણકારી નો ઉપયોગ ઘર્ષણ કરવામાં,લડવામાં કે પોલીસ અને લોકો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવામાં કરવાનો નથી,આપણે જે જાણીએ છીએ એનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે અધિકારી કાયદાનો દુર  ઉપયોગ કરતો હોય તો કેવાનુ કે સાહેબ તમે જાણો છો એટલું જ હું પણ જાણું છું,ભારત ના બંધારણ પ્રમાણે ચાલો તો ચાલશે...આ વાત કેવાની છે..................

                         પોલીસ ના પ્રકાર

   પોલીસ એરીયાના આધારે  મુખ્યત્વે બે પ્રકાર છે.
  1.કમિશ્નરેટ એરિયા..      2. S.P એરીયા...
      ગુજરાતમાં ચાર કમિશ્નરેટ એરિયા છે.
1.રાજકોટ 2.અમદાવાદ 3.સુરત 4. વડોદરા.

💐DYSP💐
     
      કોઈ DYSP નું જો કમિશ્નરેટ એરિયામાં પોસ્ટીંગ હોય  તો એને ACP કહેવાય અને બીજે ક્યાંય પણ હોય તો DYSP કહેવાય.
          હોદો એક નો એક પણ એરિયા ના આધારે પોસ્ટ બદલી જાય. કમિશ્નરેટ એરિયા માં પોલીસ નો સુપ્રિમ, જેબોસ હોય આખા શહેર નો એ કમિશ્નર હોય,બાકી આખા જીલ્લા નો મેઈન હોય એ S.P હોય...

💐 S.P (Superintendent Police) 💐

  > S.P ને એક અશોક સ્તંભ હોય છે.
  > એક સ્ટાર હોય છે.
            S.P જો સુરત,રાજકોટ, અમદાવાદ કે વડોદરા(કમિશ્નરેટ એરિયા) સીટીમાં નોકરી કરતા હોય તો એને DCP કહેવાય અને બીજે ક્યાંય બદલી થાય તો તેને S.P કહેવાય....

હવે,,,,મુખ્યત્વે ત્રણ પ્રકારની પોલીસ હોય છે...જે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ.

1.હથિયારી પોલીસ.  2.બિનહથિયારી.  
3.રાજ્ય અનામત પોલીસ..

                1.💐હથિયારી પોલીસ.....💐
          જે પોલીસ આપણા દેશ ના VVIP લોકો હોય જેવાકે સામાજીક આગેવાન હોય,રાજકીય આગેવાન હોય કે કોઈ નેતા હોય એની પાછળ ઉભા રહી સુરક્ષા કરે એ હથિયારી પોલીસ...

            💐  હથિયારી પોલીસ નું   "કામ"💐

 >કેદીઓ જપ્ત કરવા,
>VVIP સુરક્ષા કરવી,
>મંદિરો અથવા સાર્વજનિક સ્થળો હોય ,સરકારી સંપત્તિ હોય,એમાં જે કાઇ ડ્યુટી આપવામાં આવે એ કરવી,
>જેલમાંથી કેદીઓને કોર્ટમાં લઈ જવા અને કોર્ટમાંથી જેલમાં જે કેદીને ડબામાં ફેરવતા હોય એ બધા હથિયારી પોલીસ હોય.

                 2.💐બિનહથિયાર પોલીસ💐
          આ પોલીસ સાથે આપણું રોજબરોજ નું વણાઈ ગયેલું જીવન છે.
           પોલીસ સ્ટેશનમાં તમે જાવ, ફરિયાદ લખાવો, તપાસ થાય, પકડવા આવે, ટ્રાફિકમાં રોડ ઉપર ઊભા હોય,100 નંબર ઉપર ફોન કરો તો PCR માં આવે આ બધા લોકો બિનહથિયારી પોલીસ છે.

           💐 બિન હથિયારી પોલીસ નું કામ💐
 >કાયદો અને વ્યવસ્થા જાળવવી,
>રેલીઓ કાઢીએ ત્યારે સુરક્ષા કરવી,
>ફરીયાદ લખવી,
>ફરીયાદ સાભળવી,
>ગુનાઓની તપાસ કરવી, 
       આ બધી બિનહથિયારી પોલીસ હોય છે. 

                      💐 પોલીસ ના હોદાઓ 💐

1.કોન્સટેબલ-
                     પોલીસના કપડા પહેર્યા હોય,ખંભા ઉપર કોરી પડતી હોય,  ખંભા ઉપર જિલ્લાનું નામ લખેલું હોય, તે કોન્સ્ટેબલ ને લોકરક્ષક. લોકરક્ષક એટલે જેના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય એ  અને જેના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તે કોન્સટેબલ....
           કોન્સટેબલ નું કામ-
      1. ઉપરના અધિકારી જે સૂચના આપે એ જ કામ કરવાનું બીજી કોઈ માથાકૂટ કરવાનું એનામાં આવતુ નથી.
      2. મેમો ફાડવાની સતા નથી
      3. ફરિયાદ રૂબરૂ લેવાની સતા નથી
      4. કોઈની ગાડી ડિટેઈન કરવાની સત્તા નથી
      5. કોઈને પાંચ-પચ્ચીસ નો દંડ આપવાની સત્તા નથી. કોઈ સત્તા કાયદાકીય રીતે મળેલ નથી, એવી સ્પેસિફિક સતા, પોલીસ તરીકે ઘણી સતા હોય...

                      💐હેડ કોન્સટેબલ(H.C)💐

       હેડ કોન્સટેબલ ને બાય ઉપર ત્રણ લાલ પટ્ટી હોય છે.ટ્રાફિક ઉપર જતા હોય તો  H.C(હેડ કોન્સટેબલ)મેમો ફાળી શકે,પણ કોન્સટેબલ મેમો ફાળી શકે નહીં, હવે ધ્યાન રાખવાનું કે ખંભાની બાય ઉપર ત્રણ લાલ પટ્ટી હોય તો જ મેમો લેવાનો,બાકી એને બોલાવી લેવાનો કે સાહેબ, મેમો લઈશ પણ તમે આપો તોજ,પ્રસાદી તમારા હાથની જ લેવાની છે...
> હેડ કોન્સ્ટેબલ પોતે ફરિયાદ લખી શકે છે,
>પોતાના રૂબરૂ ફરિયાદ પણ થઇ શકે છે,
> પોતે ફરિયાદી બની શકે છે.

           💐 ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર)💐

>ASIના ખભા ઉપર G.P(Gujrat Police)લખેલું હોય છે,
>ASIને એક સ્ટાર હોય છે,
>વાદળી અને લાલ કલર ની પટ્ટી હોય છે.
       ASI એટલે હેડ કોન્સટેબલ કરતાં ઉપર અને PSI કરતાં નીચે, મધ્યમવર્ગીય આપણા બધાની જેમ..
 
                         💐ASIની સતાઓ 💐

1 ASI ને પણ હેડ કોન્સ્ટેબલ અને PSI જેટલી સત્તાઓ મળેલી છે.
2.તમારી ગાડી ડિટેઈન કરી શકે છે.
3.તમારી ઉપર કેસ કરી શકે છે.
4.તમારી ઉપર ફરિયાદ કરી શકેછે.

              💐PSI(Police Sub Inspector)💐
>PSI ને ખભા ઉપર બે સ્ટાર હોય છે.
>લાલ અને વાદળી પટ્ટી હોય છે.
>G.P(Gujrat Police )લખેલું હોય છે.

                💐P.I( Police inspector)💐
>P.I ને ત્રણ સ્ટાર હોય છે.
>લાલ-વાદળી પટ્ટી હોય છે.
       બાકી બધું રાબેતા મૂજબ .......
                                          પણ એક વસ્તુG.Pને બદલે G.P.S(Gujrat Police Service)લખેલું હોય છે,એક આકળો વધી ગયો.
>P.I Gujrat Police Service વર્ગ-2 ના અધિકારી ગણાય છે.
>રાજ્યપત્રીત અધિકારી એટલે કે ગેજેટેડ અધિકારી ગણાય છે.
      ઘણીવાર તમે સાભળ્યુ હશે કે ગેજેટેડ અધિકારી ના સહી -સિક્કા કરાવવા ના છે એ આ P.I સાહેબ...

                         💐DySP💐
>Gujrat Police Service હોય,
>ત્રણ સ્ટાર હોય,
>પણ વાદળી ને લાલ પટ્ટી ન હોય 

                   💐DySP ના બે પ્રકાર💐
     1.હથિયારી DySP     2.બિનહથિયારી DySP

હથિયારી DySP હોય એ SRP માં આટા મારતા હોય,બાકીના સીટી(શહેર)માં આટા મારતા હોય છે..
   
                         💐હોમગાર્ડ💐
>હોમગાર્ડ ને કોરો ખભો હોય ,
>ખભા ઉપર GHG(Gujrat Home Guard)લખેલું હોયછે.
>હોમગાર્ડ ને ખાખી ટોપી માથે હોય,બીજા પોલીસને વાદળી ટોપી હોય,વાદળી ટોપી હોય એને "બેરેકકેપ"કહેવાય.
           
                    💐હોમગાર્ડ નું કામ💐

>હોમગાર્ડ નું કામ પોલીસ ને મદદ કરવી,ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં,કાયદો વ્યવસ્થા જાળવવામાં, જાહેર મિલકતોની જાળવણી કરવામાં, સમાજમાં સુલેહશાતિ જાળવવામાં વગરે વગેરેમાં પોલીસ ને મદદ કરવી.

હવે આવે આપણા જુના અને જાણીતા,TRB
        
                     💐TRB(ટ્રાફિક બ્રિગેડ)💐

>TRB ને બ્લુ પેન્ટ અને સફેદ શર્ટ હોયછે.
>તેનું કામ ટ્રાફિક પોઇન્ટ ઉપર ઉભા રહી ટ્રાફિક નિયમન કરવાનું હોય છે.
>TRB ને વાહન રોકાવવાનો કે કોઈ ડોક્યુમેન્ટ ચેક કરવાનો અધિકાર નથી.

                💐પાસપોર્ટ વેરીફીકેશન💐
          પાસપોર્ટ પોલીસે બે જ વસ્તુ વેરીફીકેશન કરવાની હોય છે,કોઈ ત્રીજી વસ્તુ ની માથાકુટ કરવાની નથી... નથી... ને નથી.....
      1.પાસપોર્ટ કઢાવનાર માણસ ભારત દેશનો નાગરિક છેકે નહીં? તે ચેક કરવાનું હોય છે,એના માટે ચૂટણીકાર્ડ,આધારકાર્ડ, રાશનકાર્ડ જેવા અસંખ્ય કાર્ડ છે,એ બતાવી દેવાના, જોઇલ્યો..શું રેડી?...
      2.આ માણસ ઉપર કોઈ પોલીસ ફરિયાદ થયેલી છે કે નહીં?   ત્રીજુ કોઈ કામ કરવાનું નથી.

       પાસપોર્ટ વેરિફિકેશન માં પોલીસ ને કોઈ વધારાના પૈસા દેવાના નથી, કેમકે  આપણે ઓલરેડી ટેક્સ આપીએ જ છીએ..

                           💐કોર્ટ💐

                          માનોકે...તમારી ઉપર ફરીયાદ થઇ અને તમને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસ એમ કહે કે આજે શનિવાર,કાલે રવિવાર અને પરમ દિવસે સોમવારની જાહેર રજા એટલે તમે ત્રણ દીવસ છૂટશો નહીં તો તમને જણાવી દઉ કે કોર્ટ કોઈ દિવસ બંધ ન હોય..કોર્ટ એ મહાદેવના મંદિર જેવી છે, દિવસે ખુલ્લી, રાત્રે ખૂલી, જન્માષ્ટમીમાં ખુલ્લી, જાહેર રજાઓમાં ખુલ્લી, ભૂકંપમાં ખુલી, લગ્ન-પ્રસંગમાં ખુલ્લી....    
 
 મહાદેવના મંદિરની જેમ ખુલ્લી...ખુલ્લી...ને ખુલ્લી જ....

   હવે કોઈ એમ કહે કે શનિ, રવિ,સોમ ત્રણ દિવસ તમારે "લોકઅપ" માં રહેવું જોઈશે તો એ વાતમાં માલ......નથી
               
                 કેમકે,ભારત દેશના સંવિધાન મૂજબ અને ભારતીય દંડ સંહિતા નામના કાયદા ની જોગવાઈ મૂજબ
"કોઈપણ માણસને પોલીસ પકડે તો વધુમાં.... વધુમાં.... વધુ 24 કલાક ની અંદર પોલીસે કોર્ટમાં ફરજિયાત હાજર કરવો પડે......કરવો પડે.......ને કરવો પડે....પણ એમાં મુસાફરી નો સમય બાદ ગણાય છે.
  
         કોર્ટ એટલે ખાલી "ન્યાયાલય"નું બિલ્ડીંગ નહીં, પણ "જજ"સાહેબ જ્યાં રહેતા હોય એના ઘરે તો ત્યાં પણ ફરજિયાત  લઈ જવો પડે...એટલે કોર્ટ ચાલુ જ ગણાય. હવે ક્યારેય એવા વહેમમાં રહેતા નહીં કે અમને ત્રણ-ચાર દી રાખશે....

                            💐રિમાન્ડ💐 

          રિમાન્ડ એટલે માર મારવો નહીં,પોલીસ માં માર મારવાનો કોઈ કાયદો જ નથી યાદ રાખજો,અને મારે તો કોર્ટમાં તમને રજૂ કરે ત્યારે મેજિસ્ટ્રેટ ની ફરજ છેકે પેલો સવાલ તમને પૂછશે કે,
              "પોલીસ વિરુદ્ધ તમારે કોઈ ફરીયાદ છે?"
     જો તમને માર્યા હોય,તમને માનસિક ત્રાસ આપ્યો હોય,બીજી-ત્રીજી રીતે હેરાન કર્યા હોય તો "હા"પાડવાની અને "ના"કર્યા હોય તો ના પાડવાની..

   રિમાન્ડ એટલે... માનોકે  પોલીસે મને પકડ્યો અને પૂછવાનું ચાલું કર્યુ કે,
                              બોલ.......શું હતું........?
    એટલે હું કહું કે સાહેબ આમ નય ને આમ હતું, આવી પરિસ્થિતિ બની ...વગેરે...વગેરે...આ બધું પૂછવામાં 24 કલાક પૂરી થઇ ગઈ,ટાઈમ ઘટ્યો... એટલે પોલીસ કોર્ટ પાસે વધુ પૂછપરછ કરવા માટે વધુ સમય ની માગણી કરે,કેમકે 24 કલાક થી વધુ પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ ને રાખી શકાય નહીં.
                               પણ,24 કલાક થી વધુ જો પોલીસ પોલીસ સ્ટેશનમાં રાખવા માગતી હોય તો મેજિસ્ટ્રેટ એટલેકે "જજ"સાહેબ પાસે માગણી કરે કે આ વ્યક્તિ ને અમારે હજી વધુ પૂછપરછ કરવીછે ને વધુ બે દિવસ રાખવો છે...એનું નામ રિમાન્ડ.........
                         "રિમાન્ડ"એટલે પોલીસ કસ્ટડી....

                      💐કસ્ટડી ના પ્રકાર💐

                         કસ્ટડીના બે પ્રકાર છે.
         1.પોલીસ કસ્ટડી અને 2.જ્યુડિશિયલ કસ્ટડી.
પોલીસ કસ્ટડી -એટલે તમારો કબ્જો પોલીસ પાસે છે,માનો કે મને પોલીસ પકડી જાય અને પોલીસ એની પાસે રાખે,લોકઅપ માં કે ડિસ્ટાફ રૂમમાં.

        2.જ્યુડિશિયલ કસ્ટડી- એટલે તમારો કબ્જો મેજીસ્ટ્રેટ પાસે હોય તેને જ્યુડિશિયલ કસ્ટડી કહેવાય.

                         💐ડિસ્ટાફ💐

          ડિસ્ટાફ એટલે સાદા પોલીસવાળા.
         ડિસ્ટાફ એ કોઈ મોટી CBI જેવી એજન્સી નથી.

                     💐ડિસ્ટાફ નું કામ💐
             

બાકી ખરેખર તો ગુના સંશોધન નું કામ છે,એ સર્વેલન્સ પોલીસ કહેવાય, અંડરકવર પોલીસ કહેવાય.
◆ગુપ્તરાહે પોલીસ સ્ટેશન ઉપર નજર રાખવી,
◆ગુનાઓ અટકાવવા,
◆ગુનાઓ બનતા અટકાવવા,
◆થયેલ ગુનાઓની તપાસ કરવી,
◆આરોપીઓ ઉપર ગુપ્તરાહે નજર રાખવી,
◆શંકાસ્પદ ઈસમોનો પીછો કરવો,
◆ આ બધી ગુપ્ત પોલીસની કામગીરી છે, સાદા કપડામાં ફરવાનું એટલે કોઇને ખબર ના ના પડે કે આ પોલીસ છે..



whatsapp floting